પાટણ તા.10
તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા ગોરા કુંભાર વિશે કરાયેલી ટિપ્પણીને લઈને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપી બ્રહ્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા પ્રજાપતિ સમાજની જાહેરમાં માફી માંગવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજની ઉગ્ર રજૂઆત સાથે અપાયેલા આવેદન પત્ર ને લઇ ને ગોરા કુંભાર વિરુદ્ધ ટિપ્પણી કરનાર વડતાલ સ્વામી નારાયણ ના બ્રહ્મ સ્વરૂપ સ્વામી એ સમસ્ત પ્રજાપતિ સમાજની માફી માંગતો માફી પત્ર રજૂ કરી પોતાની ગોરા કુંભાર વિશેની ટીપ્પણીને લઈ સમસ્ત પ્રજાપતિ સમાજની માફી માગતાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજની એકતા ની તાકાત ની અસર જોવા મળી હતી.
અહેવાલ યશપાલ સ્વામી