પાટણ તા. ૨૨
પાટણ નગરદેવી કાલિકા માતાજી ના પ્રાચીન મંદિર પરિસર ખાતે રવિવારે સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી અગણિત વાનગીઓ તથા અનેકવિધ વ્યંજનો સહિતની ખાદ્યસામગ્રી યુકત અન્નકુટ ભરવામાં આવ્યો હતો. જે અન્નકુટ ના દર્શનનો ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.
આ શુભ પ્રસંગે શ્રી માતાજીના વૈવિધ્યપૂર્ણ ઘાટવાળા અલકારોથી સુસજિજત શૃંગાર દર્શન તથા રંગ બે રંગી ફ્લોથી સજાવેલી અનોખી આંગીનો પણ સણગાર કરવામાં આવ્યો હતો. આ અવનવા અવસરે પાટણ ઉપરાંત બહારગામ થી મોટી સંખ્યામાં ભકતોએ શ્રી માતાજીના અન્નકુટ અને સૃગાર ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.