પાટણ તા. ૧૦
પાટણના જાણીતા ફોટો આર્ટિસ્ટ ભરતકુમાર પેન્ટરનું ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પ્રસંગે ભગવાનની આબેહૂબ ફોટો પ્રતિમા તૈયાર કરવા બદલ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પરશુરામ જન્મોત્સવના કન્વીનર પિયુષભાઈ આચાર્ય, પાટણ શહેરના જાણીતા એડવોકેટ દર્શક ભાઈ ત્રિવેદી તેમજ જગન્નાથ મંદિરના પૂજારી દ્વારા ભગવાન જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન પાટણ ના મુખ્ય બજાર માર્ગ પર સન્માન કરી અભિવાદિત કરવામાં આવ્યા હતા.
અભિવાદનનો આભાર વ્યક્ત કરતા ફોટો આર્ટિસ્ટ ભરતકુમાર પેન્ટરે વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજી ના ફોટોનું ચિત્રાંકન કરવાનો લ્હાવો પ્રાપ્ત કરી પોતાની જાતને ધન્યભાગ ગણાવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી