પાટણ પંથકના વિવિધ દેવી-દેવતાઓના ભુવાજી ઓએ ઉપસ્થિત રહી વિશ્વ શાંતિની કામના સાથે દિન દુખિયાના પ્રશ્નોનું નિરાકરણ કરી આશીર્વાદ પાઠવ્યા..
પાટણ તા. ૧૬
પાટણની સરસ્વતી નદીના તટે આવેલા કુવારીકા કાંઠાની શ્રી મેલડી માતાજીની ભવ્ય રજવાડી રમેલ જેઠ સુદ આઠમની રઢીયાળી રાત્રે ભક્તિ સભર માહોલમાં હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે પાટણ પંથકના વિવિધ દેવી-દેવતાઓના ભુવાજીના સાનિધ્યમાં યોજવામાં આવી હતી.
કુવારીકાઠાની શ્રી મેલડી માતાજી ની રજવાડી રમેલ માં ઉપસ્થિત રહેલા પાટણ પંથકના વિવિધ દેવી-દેવતાઓના ભુવાજીઓએ માતાજીની સન્મુખ પાઠ પર બેસી વિશ્વ કલ્યાણની કામના સાથે દિન દુખિયા ના પ્રશ્નોનું નિરાકરણ કરી રૂડા આશીર્વાદ પાઠવી સવારે 7:00 કલાકના શુભ મુહૂર્તમાં તેલ ફૂલની વિધિ સંપન્ન કરી હતી.
શ્રી મેલડી માતાજી ની રજવાડી રમેલમાં ઉપસ્થિત રહેલા પાટણ પંથકના શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ મેળવી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
સરસ્વતી નદીના તટે બિરાજમાન કુવારિકા કાંઠાની શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા મંદિરના પૂજારી સહિત ટ્રસ્ટીગણ તેમજ શ્રી મેલડી માતાજીના ભક્તોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી