પાટણ તા. ૧૭
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા અવાર નવાર અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાની પ્રેરણાથી પાટણ શહેરના હેમચંદભાઈ આશીદાસ પટેલે પોતાના મક્કમ નિર્ધાર સાથે પરિવારની સંમતિથી અને ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ ના માધ્યમ થી મેડીકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન કરવાનો સંકલ્પપત્ર ભરીને ઉત્તમ અને પ્રેરણાદાયી નિર્ણય કર્યો છે.
તેમના દેહદાન ના સંકલ્પ પત્ર ભરવાના સમયે તેમના પુત્રો નીતિનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, શૈલેષ ભાઈ પટેલ તથા પૌત્રો સાથે ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ ભાગૅવભાઈ ચોકસી, મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ, પૂર્વ પ્રાંત પ્રમુખ જયેશભાઈ પટેલ, શિરીષ ભાઈ પટેલ, ડૉ.શૈલેષભાઈ સોમપુરા, પ્રજ્ઞેશ પટેલ, રાજેશ ઠકકર, હર્ષ પટેલ, વૃષભ પટેલ, ભાર્ગવ જોષી, ગીરીશ પટેલ, અલ્પેશપટેલ, ધનેન્દ્ર પટેલ તથા કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિવાર જનોની ઉપસ્થિતિમાં હેમચંદભાઈ એ સંકલ્પ પત્ર ભરી અર્પણ કરતા જણાવ્યું હતું કે”મૃત્યુ પછી કરવા જેવું એક મહાદાન એટલે દેહદાન હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી