સિધ્ધપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી..
પાટણ તા. ૨૯
છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેર અને જિલ્લા માં જીવનથી નાસીપાસ થયેલા લોકો આત્મ હત્યા કરી પોતાની જીવન લીલા સંકેલી લેતા હોવા ના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુર શહેરમાં સહકાર ટ્રેડિંગ કંપની નામની દુકાનના માલીક દિનેશભાઈ પટેલે ગઇકાલે રાત્રે પોતાની દુકાનમાં શટર બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
બનાવની જાણ સિધ્ધપુર પોલીસ ને થતાં તેઓએ ધટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી આગળ ની તજવીજ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સહકાર ટ્રેડિંગ નામની દુકાનના માલિકે પોતાની દુકાન માં જ ગળે ફાસો ખાઈને કરેલી આત્મહત્યાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયાં હતા.
જોકે વેપારીએ કયાં કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી છે તે રહસ્ય ને ઉકેલવા પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી