પાટણ તા. 4
પાટણ જિલ્લાના જૈનોના પ્રસિદ્ધ યાત્રાધામ સમા શંખેશ્વર ના ગુરુવર્ય પરમ પૂજ્ય શ્રી આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી (કેસી) મહારાજ સાહેબ નું હાલ અમદાવાદના આનંદધામ ખાતે રોકાણ છે. ત્યારે તેઓના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ભારતના જાણીતા ટોરેન્ટો ગ્રુપના ઉદ્યોગપતિ, દાનવીર અને શ્રેષ્ઠીવયૅ સુધીરભાઈ મહેતા પધાર્યા હતા. જેઓએ કુલચંદ્ર સુરીશ્વરજી( કેસી)મહારાજ સાહેબ ના ખબર અંતર પુછી તેઓના દર્શન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
પરમ પૂજ્ય કુલચંદ્ર સુરેશ્વરજી ( કેસી)મહારાજ સાહેબે પણ સુધીરભાઈ મહેતા ને વાસ્કેપ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.ભારત ના જાણીતા ઉદ્યોગપતિ અને ટોરેન્ટો ગ્રુપના સુધીર ભાઈ મહેતા ની ગુરુવયૅ સાથે ની શુભેચ્છા મુલાકાત યાદગાર બની રહી હતી.