પાટણ તા. 4
સંખારી ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત નુતન વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા સંખારી ના આચાર્ય જયંતીભાઈ મંગળભાઈ પટેલનો વયનિવૃત વિદાય સમારંભ વિદ્યાલય ના કેમ્પસ ખાતે ગુરૂવારે રાખવામાં આવ્યો હતો. bનૂતન વિદ્યાલયમાં વર્ષ 2002માં આચાર્ય તરીકે જોડાય પ્રશંસનીય ફરજ બજાવી નિવૃત થતાં આચાયૅ ને સંખારી ગ્રુપ કેળવણી મંડળ દ્વારા વિવિધ મોમેન્ટો શ્રીફળ સાલ સાકર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.તો ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, સામાજિક,રાજકીય આગેવાનો દ્વારા પણ આચાયૅને વિવિધ મોમેન્ટો આપી તેમની ફરજ પ્રત્યે ની નિયમિતતા, કર્મ નિષ્ઠા, ઉદાર વ્યવહાર, શિક્ષકો તથા બાળકો પ્રત્યેના લાગણી શિલ સ્વભાવ ની સરાહના કરી નિવૃત જીવનની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડો મનીષભાઈ પટેલ,42 લેઉવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગ પતિ પ્રહલાદભાઈ પટેલ,ડો સુરેશભાઈ પટેલ, જગદીશ ભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ, શૈલેશ ભાઈ મોદી, ડાહ્યાભાઈ પટેલ,ચંદુભાઈ પટેલ, સી.આર.સી દિનેશ ભાઇ પ્રજાપતિ, હસુમતી બેન પટેલ, વિઠ્ઠલભાઇ પરમાર સહિત ગ્રામજનો, વિદ્યાલયનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નુતન વિદ્યાલય સંખારી ના આચાર્ય નો વય નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો..
Date: