fbpx

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રામા હેમ.ઉ.ગુ.યુનિ.ના ABVP છાત્ર સંગઠનના વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ ફોર સેવા પ્રકલ્પમા સ્વચ્છતા સેવા યજ્ઞમાં જોડાયા..

Date:

પાટણ તા. 21
સમગ્ર ભારતની બીજા નંબરની અને ગુજરાતની પ્રથમ ક્રમાંકની ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા અમદાવાદ ખાતે સંપન્ન થઈ. હૈયે હૈયુ ભિસાય તેવી જનમેદનીમાં નગરના નાથના સૌ ભાવિ ભક્તો એ આશિર્વાદ મેળવ્યા.

આવા નરસમુદ્રના ઘોડાપુરમાં રથયાત્રા નિકળ્યા બાદ પાણીના પ્લાસ્ટિક ગ્લાસ, નાસ્તાની ડિશો અને ફુડ પેકેટ તેમજ અન્ય ઘણી ગંદકી થતી હોય છે. ત્યારે હકારાત્મક વિચારો અને યુવા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ તેમજ યુવા વિદ્યાર્થીઓનાં મુંઝવતા પ્રશ્નો માટે સતત કાર્યરત રહેતા છાત્ર સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા થકી રથયાત્રાના સમગ્ર પથ પર યુવાનો દ્વારા સતત સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવામાં આવેલ હતું.

આ અભિયાનમા પાટણથી એમ.એસ.સી . આઈ. ટી મા અભ્યાસ કરતા પાઠક કાર્તિકેય અને બી.એડ માં અભ્યાસ કરતા દેસાઈ સાહિલ અને એસ.કે.સી.બી.એમ ના બી.બી.એ માં અભ્યાસ કરતાં ચુનંદા વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે સેવાર્થે રથયાત્રામાં જોડાયા હતા.જેમા યુવા વિદ્યાર્થીઓએ સેવા સાથે ધર્મકાર્ય તેમ બંન્નેનો લાભ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ખેરાલુ ના ભરત ડાભી ને રિપીટ કરાયા…

શિક્ષણ,આરોગ્ય અને રેલ્વે સહિત પાટણ લોકસભા વિસ્તાર ની સમસ્યાનું...

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે ~ #369News

બાસ્પા ની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના અધ્યાપિકા ડો.નયનાબેન પરમારે પીએચડી માન્યતા મેળવી.

પીએચડી ની માન્યતા મેળનાર ડો.નયનાબેન પરમારને પાટણ જિલ્લા કોંગ્રેસ...

મન કી બાત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ..

મન કી બાત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ.. ~ #369News