ટિટોડી જયાં સુધી ઈડા નહિ સેવે ત્યાં સુધી વરસાદ નહિ આવે તેવું અનુમાન..
પાટણ તા. 23
આપણા શાસ્ત્ર અને ધર્મમા અલગ અલગ પ્રકારની ઘટનાઓને લઈ ને વરસાદની આગાહી કરવાની પ્રણાલી ચાલતી આવી છે તેમા એક પ્રણાલી એવી છે કે જેના મુજબ વરસાદ વિશે અનુમાન લગાવી શકાય. હાલમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજના રમતગમતના મેદાન ઉપર પક્ષી ટિટોડીએ ચાર ઈંડા જમીન પર માળો કરીને મુક્યા છે.
જેના ઉપરથી ડો. આસુતોષ પાઠકે એવું જણાવ્યું હતું કે જમીન ઉપર માળો હોવાથી પ્રમાણમા વરસાદ ઓછો પડી શકે. પરંતુ એવું નથી હોતું જમીન પર માળો મુકવાનો અર્થ એ છે કે જ્યાં સુધી માતા ટિટોડિ આ ઈંડાને સેવે અને ઈંડા નું કવચ તોડીને આ દ્વિજ બાળ, ટિટોડીના બચ્ચા બહાર નહિ આવે ત્યાં સુધી રિમઝીમ કે ધોધમાર વરસાદ નહિ વરસે. જેવા આ ઈંડા માથી બચ્ચા બહાર આવશે ત્યાર બાદ વરસાદ આવી શકે તેમ હોવાનું તેઓએ અનુમાન વ્યક્ત કરી જણાવ્યું હતું કે જયાં સુધી આ પક્ષીને વાતાવરણની ગરમી અને વાતાવરણના બાફને અનુભવીને એટલું સ્પંદન થતું હોય છે કે જ્યાં સુધી ઈંડા સેવવાનો નિશ્ચિત સમય પુરો નહિ થાય ત્યાં સુધી વરસાદ નહિ આવે. પશુ પંખી અને જીવજંતુઓની વાતાવરણ પરખવાની ઈન્દ્રિય અદ્ભુત હોય છે.
જેમાં કાચિંડાનું પણ નિરિક્ષણ કરવાથી આપણે કહી શકીએ કે વરસાદ ટુંક સમયમાંજ આવશે કે નઈ. જો કાચિંડાની ગરદનનો ભાગ ગુલાબીથી લાલાશ પડતો દેખાય તો સમઝવાનું કે એક અઠવાડિયાથી દસ દિવસમા વિધિવત ચોમાસાની શરૂઆત થશે. હાલમાંતો આર્ટસ કોલેજ, પાટણના મેદાનમાં ટિટોડી એ ઈંડા મુક્યા છે એટલે જ્યાં સુધી ઈંડા માથી બચ્ચા બહાર નઈ આવે ત્યાં સુધી વરસાદ ની ચાતક નજરે રાહ જોવી જ પડશે તેવું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી