પાટણ તા. 16 પાટણ શહેરના ગુર્જરવાડા ખાતે ચાલી રહેલ અધિક માસની કથા દરમ્યાન રુક્ષ્મણી વિવાહ નો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. પાટણ શહેરના ગુર્જરવાડા સમસ્ત પરિવાર દ્વારા આયોજિત શ્રાવણમાં અધિકમાસ પુરુષોત્તમ ભગવાન તેમજ શ્રીમદ ભગવાન જ્ઞાન યજ્ઞ કથા નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શાસ્ત્રી ગીરીશ ભાઈ રાવલ દ્રારા રસપાન કરાવી રહ્યા છે. ત્યારે જેમાં વિવિધ પ્રસંગ ઉજવવામાં આવે છે.
જેમાં રુક્ષ્મણી વિવાહ નું પણ આયોજન કરાયુ હતું જે નિમિત્તે વરઘોડો યોજાયો હતો .રુક્ષ્મણી વિવાહ ના યજમાન પદે પટેલ સંજય કુમાર કાંતિલાલ, કેતન કુમાર કાંતિલાલ, સંજય કુમાર કાંતિલાલ પરિવારે લ્હાવો લીધો હતો.ત્યારે તેમના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે રુક્ષ્મણી વિવાહનો વરઘોડો નીકળ્યો હતો જેમાં સમસ્ત ગુજૅરવાડા યુથ ક્લબ પરિવારના સભ્યો જોડાયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી