fbpx

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે દિપાવલી સ્નેહમિલન સાથે સન્માન સમારોહ યોજાયો..

Date:

પાટણ તા. ૧૮
રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે શ્રીઅખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અધ્યક્ષ નું સાફો, ફુલહાર પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું.

રાધનપુર વિસ્તાર અઘ્યક્ષનો પહેલા મત વિસ્તાર રહી ચૂક્યો છે. જેથી તમામ સમાજમાંથી બહોળી સંખ્યામાં અઘ્યક્ષ ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા લોકો ઉમટ્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ આવનાર નવું વર્ષ ભારત વર્ષ માટે સુખમયી નીરામયી જાય અને સૌ નાગરિકો સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી પરમાત્માને પ્રાર્થના કરી કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ રાજ્યમાં વિકાસના કાર્યો પ્રત્યે કટિબદ્ધ છે,

ત્યારે સરકારની પ્રજાલક્ષી યોજનાના લાભ થકી છેવાડાનો માનવી મુખ્યધારા સાથે જોડાય તે પ્રકારનું પ્રજા લક્ષી કામ કરવા માટે આગેવાનોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે સંત શ્રી ગોવિંદપુરી બાપુ ૧૦૦૮ શ્રી નાથ જગ્યા, આંજણા કેળવણી મંડળના પ્રમુખ,મંત્રીસહિત ચૌધરી સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

આરોગ્યની નગરી પાટણ શહેરમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દરિદ્ર...

પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 3906 લોકોને સ્થળાંતરિત કરાયા..

પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 3906 લોકોને સ્થળાંતરિત કરાયા.. ~ #369News