પાટણ તા. ૨૩
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાની તડામાર તૈયારીઓ સાથે મંદિર પરિસર નું રંગરોગાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મંદિર પરિસર ની દિવાલો ને આકર્ષિત બનાવવા ભગવાન શ્રી પદ્મનાભજી મંદિર પરિસર ની દિવાલો પર પાટણ પ્રજાપતિ પરિવારના અને હાલમાં નવસારી રહેતાં ચિત્રકાર દંપતિ મિનિષભાઈ અને તેમના પત્ની ફાલ્ગુનીબેન દ્રારા કેમલ ના એક્રેલિક કલરો વડે ભગવાન શ્રી પદમનાભજી ની રવાડી ના દશૅન સાથે ટ્રેડિશનલ અને ડેકોરેટિવ ચિત્રોનું ચિત્રાકન કરી દીવાલોને આકર્ષિત બનાવવામાં આવી છે.
તો ચિત્રકાર દંપતિ દ્વારા ભગવાનના મંદિર પરિસરની દીવાલોની સાથે સાથે શ્રી પદમનાભ ભગવાન ની વાડી પરિસર ના અન્ય મંદિરોની દિવાલો પર પણ નયન આકૅષણ ચિત્રો નિશુલ્ક ચિત્રાંકન કરી આપીને શ્રી પદમનાભ ભગવાન ના સપ્ત રાત્રી મેળાની શોભામાં અભિવૃદ્ધિ કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી