સમાજના દાતાઓ દ્વારા રોકડ સહિત ૪૭ ભેટ સોગાદો અર્પણ કરાઈ..
પાટણ તા. ૧૪
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૪ ડિસેમ્બરને ગુરૂવારના શુભ દિવસે શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં ૩૯ માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૨ નવદંપતિઓએ સમાજની સાક્ષીએ અને સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડયા હતા.
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત ૩૯ માં સમૂહ લગ્ન પ્રસંગે સમાજના દાતાઓ તરફથી દરેક નવદંપતીઓને રોકડ સહિત ૪૭ જેટલી વિવિધ ભેટ સોગાદો અપૅણ કરવામાં આવી હતી.નવદંપતિઓને આશિર્વાદ પાઠવવા પ્રજાપતિ સમાજના સંતો- મહંતો અને સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ૩૯ માં સમૂહ લગ્ન ઉત્સવ ને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ, મંત્રી નીરૂભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ દલવાડી,ખજાનચી પ્રહલાદ ભાઈ પ્રજાપતિ,ઓડિટર મહેશ સ્વામી સહિત અરૂણ પ્રજાપતિ, પ્રહલાદ એમ. પ્રજાપતિ,દિનેશ પ્રજાપતિ, ગણપતલાલ પ્રજાપતિ, જીતેન્દ્ર ઓતિયા સમૂહ લગ્ન સમિતિના પ્રો.ચેરમેન મુકેશભાઈ પ્રજાપતિ,વિજયભાઈ સ્વામી, કનુભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી