આ સેવા કેમ્પનો લાભ લેનારા તમામ લોકોના મન શુદ્ધ બની અંધશ્રદ્ધામાંથી તેઓ મુક્ત બની પરિવાર અને રાષ્ટ્ર નું કલ્યાણ કરશે : દોલતરામ બાપુ..
પાટણ તા. ૨૨
ધર્મની નગરી પાટણ પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાની સુવાસને ચોમેર ફેલાવી રહ્યા છે. ત્યારે આ ઉનાળાની બળબળતી ગરબીમાં રાહદારીઓ, વાહનચાલકો, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના સગાસંબંધી સહિત વિસ્તારના વેપારીઓ સાથે ધારપુરના ગ્રામજનોને ઠંડા પાણી અને છાસ ની નિશુલ્ક સેવા મળી રહે તેવા શુભ ઉદેશ થી બુધવાર ના રોજ ધારપુર હોસ્પિટલ સામે નોરતા આશ્રમ પરિવાર ના સહકારથી પ. પૂ. દોલતરામ બાપુના વરદ હસ્તે અને તેઓના આશીર્વાદ સાથે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઠંડા પાણી અને છાશના સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવતા પરમ પૂજ્ય દોલતરામ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવા સેવા કાર્ય થકી આ સેવાનો લાભ લેનારા તમામના જીવન માંથી દુર્ગુણો નાશ પામી અંધશ્રદ્ધા માંથી મુક્ત બની સેવાની ભાવના સાથે તેઓ પરિવાર અને રાષ્ટ્ર નું કલ્યાણ કરશે.
તેઓએ ઉનાળાની આ બળબળતી ગરમીમાં ધારપુર હોસ્પિટલ સામે શરૂ કરાયેલી ઠંડા પાણી અને છાશની સેવા ના કેમ્પની સરાહના કરી કેમ્પનું આયોજન કરનારા આયોજકો અને દાતા પરિવારો ને અંતરથી આશીર્વાદ પાઠવ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી