fbpx

ખોડીયાર માતાજીનાં વષૅ ગાઠ પવૅની ભક્તિ સભર માહોલ મા ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 21
પાટણ શહેરનાં મોતીશા દરવાજા બહાર આવેલા પટેલ સમાજનાં કુળદેવી ખોડીયાર માતાનાં મંદિરેથી અષાઢી બીજને મંગળવારે માતાજીની વર્ષગાંઠ નિમિતે પાલખી યાત્રા પાટણ શહેરનાં માર્ગો પર નિકળી હતી.આ શોભા યાત્રામાં બેન્ડવાજા, ૪ બટુક ઘોડેશ્વર સહિત પાટીદાર સમાજનાં લોકો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પાલખી યાત્રા શહેરનાં ખોડીયાર માતાજીનાં મંદિરેથી વાજતે ગાજતે નિકળીને મોતીશા દરવાજા, બળીયાપાડા, લોટેશ્વર, દોશીવટ બજાર, ત્રણ દરવાજા, રતનપોળ, ભદ્ર થઇને નીજ મંદિર પરિસરમાં પહોંચી હતી.મંદિર પરિસર ખાતે માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો હતો જેના યજમાન તરીકેનો લાભ બાબુભાઇ ભગવાનભાઇ પટેલ પરિવારે તથા પાલખી ઉપાડવાનાં યજ્માન તરીકે નો લાભ પરેશ રમેશભાઇ અને રમેશ ભગવાનભાઇ પટેલ પરિવારે લીધો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પત્રકારો ને જાણકારી અપાઈ..

પાટણ તા. 29દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 30મી...

ધારપુરમાં કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરાયેલ સફાઈ કર્મચારીએ ઝેર પી મોત વ્હાલુ કરતા તેના ધેરા પ્રતયાધાત પડયાં..

ધારપુરમાં કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરાયેલ સફાઈ કર્મચારીએ ઝેર પી મોત વ્હાલુ કરતા તેના ધેરા પ્રતયાધાત પડયાં.. ~ #369News

શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળા યાત્રા સંઘના સંઘવી દ્વારા મંડળ અને સમાજ ના પ્રમુખ નું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો..

શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળા યાત્રા સંઘના સંઘવી દ્વારા મંડળ અને સમાજ ના પ્રમુખ નું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો.. ~ #369News