fbpx

પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરાઈ…

Date:

પાટણ તા. ૨૬
પાટણ નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરવામાં આવી છે ત્યારે શુક્રવારે શહેરના બગવાડા દરવાજા ખાતે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ બાર કોડૅ સ્ટીકરો લગાવી સ્વચ્છા બાબતે ની ફરિયાદો નું પાલિકા દ્વારા 48 કલાકમાં નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નગર પાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા પાલિકા પ્રમુખ ની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરી શહેરની જાહેર જગ્યાઓ પર એપ ના એન્ડ્રોઇડ અને ios સ્ટીકર માર્યા હતા.

જે એપ ડાઉનલોડ કરી શહેરીજનો શહેર ની સ્વછતાં ને લઈ કોઈ સમસ્યા હોય તો નગર પાલિકામાં રજુઆત કરી શકશે જે ફરિયાદ નું પાલિકા દ્વારા 48 કલાક માં નિરાકરણ કરવામાં આવશે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે શહેર માં ભારત સરકાર ની સ્વચ્છતા એપ લોન્ચ કરવામાં આવી છે જેને લઈ આજે શહેર ના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છતા એપ ના બાર સ્ટીકર જાહેર જગ્યાઓ, રીક્ષાઓ સહિત સ્થળો પર લાગવામાં આવ્યા છે.ત્યારે આ એપ મારફત મળેલી સ્વચ્છતા ને લગતી તમામ સમસ્યા ઓનો પાલિકા દ્વારા 48 કલાકમાં નિકાલ કરવામાંઆવશે.

પાટણ નગરપાલિકા ના સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા એપ ડાઉનલોડ કરો અને તમારી ફરિયાદ કરો તેવી એક એપ લોન્ચ કરી છે જેનું પાલન પાટણ માં થાય તે માટે પાલિકા દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં આ એપ ના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેથી જાહેર જનતા આ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી તેમાં તેમના વિસ્તાર અને તેમની સમસ્યાઓની રજુઆત કરી શકે છે.

જેનો નિકાલ 48 કલાક માં કરવામાં આવશે વધુ માં તેઓએ જણાવ્યું હતું કે આ સ્વચ્છતા એપ દ્વારા સ્વચ્છતાને લગતી કોઈ પણ સમસ્યા જેવી કે કચરાના ઢગલા, કચરાના વાહન આવ્યા નથી, ખુલ્લી જગ્યામાં કચરો બાળવો, ડસ્ટબીન સાફ નથી, ખુલ્લા માં શૌચ, જાહેર પેશાબની જગ્યા (યલો સ્પોટ) સાફ સફાઈ ન થવી, મૃત પ્રાણી, જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો નથી, જાહેર શૌચાલયમાં વીજળી નથી, જાહેર શૌચાલયોની સફાઈ, જાહેર શૌચાલય ઉભરાઈ જવું,ગટર અથવા વરસાદી, પાણીનો ભરાવો, ખુલ્લા ગટરના ઢાંકણા, રસ્તા પર સ્થિર પાણી જેવી સમસ્યાઓની રજુઆત કરી શકાશે તેવું જણાવ્યું હતું.

પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવેલ એપ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં શહેર કોગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે પાટણ નગર પાલિકા દ્વારા સ્વછતા એપ લોન્ચ કરવા માં આવી તે અભિનંદન ને પાત્ર છે. પરંતુ આ પાલિકા ના નઘરોળ તંત્ર ને લઈ પાટણ નગર પાલિકા માં રોજેરોજ ટોળેટોળા વિવિધ સમસ્યા ને લઈ આવી રહ્યા છે.

પરંતુ એમની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી તો આ સ્વચ્છતા એપ માં કેટલા દિવસ માં ફરિયાદ નો નિકલ કરવામાં આવશે તેવો મેસેજ મુકવો જોઈએ અને ફરિયાદ નો નિકાલ ના થાય તો અપીલ કોને કરવાની એ પણ સાથે જણાવવું જોઈએ. બાકી એપ ડાઉનલોડ કરવાથી સ્વચ્છતા થવાની નથી કારણકે પાટણ શહેર માં ઠેરઠેર ઉભરાતી ગટરો જોવા મળી રહી છે લોકો રજુઆત કરવા પાલિકા જાય છે. તો પણ નિકાલ થતો નથી તો એપ થી કેવી રીતે પાલિકા નિકાલ કરશે તેવા કટાક્ષ તેઓએ કયૉ  હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધારપુરમાં કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરાયેલ સફાઈ કર્મચારીએ ઝેર પી મોત વ્હાલુ કરતા તેના ધેરા પ્રતયાધાત પડયાં..

ધારપુરમાં કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરાયેલ સફાઈ કર્મચારીએ ઝેર પી મોત વ્હાલુ કરતા તેના ધેરા પ્રતયાધાત પડયાં.. ~ #369News

પાટણ જલારામ મંદિરે દિપાવલી ની રોશની સાથે ધાર્મિક ઉત્સવ ની તડામાર તૈયારીઓ આરંભાઈ..

પાટણ તા. ૧૧પાટણ શહેરમાં દિવાળીના તહેવારોનો ધમધમાટ જેવા મળી...